A BETTER TOMORROW - "શિષ્ટ, ક્ષમા અને કલા એટલે શિક્ષક, સાચા અર્થમાં વિદ્યાને ગ્રહણ કરનાર એટલે વિધાર્થી, આ બંનેનું સમન્વય એટલે - 'TIRNA' ગુજરાતી એજ્યુકેશન બ્લોગ"
સંપર્ક : Contact
30 સપ્ટેમ્બર 2023
ભાષાસજ્જતા - 3
29 સપ્ટેમ્બર 2023
ભાષાસજ્જતા - 2
ભાષા સજ્જતા - 1
28 સપ્ટેમ્બર 2023
મોટીવેશન વાર્તા - 3 (મંથન-આત્મસન્માન)
20 સપ્ટેમ્બર 2023
સપ્તર્ષિ : પરિચય
12 સપ્ટેમ્બર 2023
મોટીવેશન વાર્તા - 2 (નજરિયો)
11 સપ્ટેમ્બર 2023
મોટીવેશન વાર્તા 1 (સંઘર્ષ અને અસ્તિત્વ)
10 સપ્ટેમ્બર 2023
લાગણીની પરિભાષા - 8
પરિભાષા દિલની
સંબંધ સાચવવા ચુપ રહેલ માણસ જયારે બોલે છે ને સાહેબ...
ત્યારે સંબંધોમાં પુર આવી જાય છે...
ભાગ્ય લઈને આવવાનું ને કર્મ લઈને જવાનું,બસ આ નાનકડો પ્રવાસ
એટલે આપણી જિંદગી !!
મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,
બાકી હથેળી મારી હોય કે તમારી ખાલી જ રહી જવાની છે..!
સંબંધો કાચ જેવા હોય છે...સાહેબ...
વધારે ઘર્ષણ લીસોટા પાડે ...
ડૉ. દિલીપમોદી મુક્તક સ્પર્ધા (બુક વર્લ્ડ ) - મારા મુક્તકો
નમસ્કાર ,
મારા બે મુક્તક નો સમાવેશ પ્રથમ 100 મુક્તકમાં કરવા બદલ આભાર. અને આ દ્વારા મને નવોદિત સાહિત્યકાર તરીકે આગળ લખવાની પ્રેરણા, પ્રોત્સાહન, માર્ગદર્શન અને એક પ્લેટફોર્મ આપવા બદલ આપ સર્વો કમિટીનો દિલથી આભાર વ્યક્ત કરું છું.
07 સપ્ટેમ્બર 2023
લાગણીની પરિભાષા - 7 ( જન્માષ્ટમી)
02 સપ્ટેમ્બર 2023
લાગણીની પરિભાષા - 6
પરિભાષા દિલની
તકલીફ તો છે જાગતા છે ને તેને જગાડવાની છે
હકીકત જ શોધવી પડે છે આ દુનિયા માં સાહેબ...
અફવા ઓ તો ઘર બેઠા આવી જાય છે...
શિક્ષક દિન નિમિતે લઘુ ચિંતન ભાગ - ૨
શિક્ષક કે શિક્ષણ વિશે વધુ બોલવાનું હોય ત્યારે હું ત્રણ વાત ચોક્કસ કહીશ.: સમાજ માં શિક્ષણ રક્ષણ આપતું હોવું જોઈએ. ‘જે શિક્ષા
સુરક્ષા ન આપી શકે તે વિધાલયમાં શોભે નહિ .’સમાજમાં જે ઘટનાઓ બને છે તે જોતા લાગે શિક્ષણ રક્ષણ આપી
શક્યું નથી. શિક્ષણ રક્ષણ આપવું જોઈએ.જેવી રીતે તક્ષશિલા ,નાલંદા શિક્ષણ ની
સાથે સાથે રક્ષણ પણ આપતી હતી,
એમાં માનવીના તન મન અને શીલનું રક્ષણ થતું હતું.બીજું છે, શિક્ષણ પોષણ
આપતું હોવું જોઈએ. શિક્ષણ જગતમાં વિધાર્થી કે શિક્ષકનું ક્યારે શોષણ ન થવું જોઈએ.
ત્રીજું આ બન્ને ઘટના પ્રેમશિક્ષણ દ્વારા થવી જોઈએ. જો શિક્ષણ પ્રેમથી નહિ થાય તો
છેદ ઉડી જશે .આ ત્રણ વસ્તુ આપને બધા સાચવી શકીએ. તો શિક્ષણ વિધામાં પરિવર્તન થશે.
આ બધી જ જવાબદારીના મૂળમાં શિક્ષક જ છે, કારણ કે વાલીઓ જવાબદારીઓ આપીને છૂટી જાય .
શિક્ષક
જવાબદારી સમજીને એક વ્રતનિષ્ઠ બનીને પોતેજ
કાર્ય કરે છે, એ વર્ગના વિધાર્થીઓને શીખવવાનું છે, જીવનમાં શિક્ષકે
ક્યારેય બીજાના દોષને જોવાના નથી,
પ્રવતમાન સમયમાં શિક્ષક આટલું કરતો થશે તો શાળામાં એક નવો
ઘાટ ઉભો થશે, જેનો આનંદ શિક્ષક વધારે પ્રાપ્ત કરતો થશે, તો શાળામાં એક નવો ઘાટ ઉભો થશે, જેનો આનંદ શિક્ષક
વધારે પ્રાપ્ત કરી શકેશે. સમાજને કશું અર્પણ કરી શકશે. આજે સમાજમાં શિક્ષકનો મહિમા
વધુ ગવાય છે, આ મહિમાને વધારે જીવંત રાખવા માટે શિક્ષકે આદર્શ આદર્શ વિચાર રાખીને
પ્રમાણિકતા વાત્સલ્યભાવે શિક્ષણ કાર્ય કરવું પડશે. સમાજ શિક્ષકને ગુરુના
ભાવથી જુએ છે, પણ એક શાયર કહ્યું
છે,” શિક્ષક રીટાયર થઈ શકે છે,પણ એક્સ્પાયર ન થવો જોઈએ,”
ઉમર થી ભલે નિવૃત થઇ જાય પણ મનથી કયારેય નિવૃત ના થવો જોઈએ.શિક્ષકને તો પોતાના
આંગણામાં રમતા બાળકો કરતા શાળામાં આંગણામાં રમતા બાળકો કરતા પ્રત્યે વધારે મમતા
હોવી જોઈએ ,જે શિક્ષક આટલું કરી શકેશે ,ત્યારે સમજવાનું કે આપણો શિક્ષણધર્મ સાર્થક છે.
ટૂંકમાં આપણે
સૌ મળીને ભારતીય શિક્ષણ પરંપરાનો સાથે પવિત્રતા સાચવીને સ્વીકારીએ એનું જતન કરીએ.
પૂર્ણ.
હું સોલંકી નયના શિક્ષક દિન નિમિતે આપની સક્ષમ બે ભાગમાં મારા ચિંતન લેખન રજુ કરી રહી છું. આપના પ્રતિસાદ અચૂકથી જણાવજો.
શિક્ષક દિન નિમિતે લઘુચિંતન લેખ ભાગ - ૧
શિક્ષક તો ઋષિ તુલ્ય છે, શિક્ષક સમાજમાં ગુરુ સમાન છે, એની જયારે વાત આવે ત્યારે મારે શિક્ષક વિષે મારે શું બોલવું ? પણ એક શિક્ષકના નાતે કહેવું હોય તો હું અવશ્ય કહીશ કે, શિક્ષક એક કુંભાર છે, માફ કરજો અહી કોઈ વર્ણ, વર્ગ, જાતિ કે ધર્મને ધ્યાનમાં લેવાનો નથી ખરેખર એકવીસમી સદીમાં કોઇપણ પ્રકારનો વર્ણવાદ,જાતિવાદ કે જ્ઞાતિવાદ ચાલી શકે નહિ, શંકરાચાર્ય આજથી વર્ષો પહેલા કહ્યું છે, કે, - ‘नमे ज़ाति भेद;’ એટલે કે મને કોઈ જાતિ પ્રત્ય ભેદ નથી, તો આપને શા માટે રાખવો જોઈએ.?
હવે આપણે મુખ્ય
વાત પર પાછા આવીએ કે,
શિક્ષક કુંભાર છે. આપને ખ્યાલ છે કે, કુંભાર માટી માંથી જ બધા વાસણો ત્યાર કરે છે. જયારે ત્યાર કરતો હોય તો તે બધા
જ પ્રકારનો ખ્યાલ રાખે છે. જયારે જરૂર પડે ત્યારે અંદર હાથ રાખીને બહાર થી ટપારે
છે, એવી રીતે એક ઘડો ત્યાર થાય છે. શિક્ષક પણ આવું જ કાર્ય કરે છે કે, વિધાર્થીરૂપી ઘડાને ત્યાર કરતી વખતે જ્યાં જેવી જરૂર જણાય તેવી રીતે પોતાના
પ્રેમનો હાથ રાખીને કાર્ય કરવું જોઈએ. માટે અહી કુંભાર એટલે વર્ણ નહિ વૃતિ ની વાત
છે.
કવિ કાગબાપુએ
એક સમેલનમાં ગાંધીબાપુને પણ કુંભાર કહ્યા હતા. ‘તમારા આંગણમાં તમે માટલા બનાવજો.માટલાને પકવજો.જે કરવું હોય તે કરજો. પણ
નીભાડાને દુર રાખજો. આપને ત્યાં શિક્ષકનું બહુ મોટું ગૌરવ છે. શિક્ષકે પણ એક વાતને
યાદ રાખવા જેવી છે. સમાજમાં ઘડાયા વિના ના પથ્થરો પડ્યા છે. ખુનદાયા વિનાની માટી
પડી છે.એની પાસે જઇને એમાં પડેલી ચેતના ને બહાર કાઠીએ તેવી વૃતિ અને પ્રવુતિ
શિક્ષકનું કુંભાર કર્મ કહેવાય. આજે સમય એવો આવી ગયો છે કે, શિક્ષકની જવાબદારી પોતાના પરિવાર અને સમાજ માટે પણ વધી ગઈ છે. આવી
પરીસ્થિતિમાં શિક્ષકે પોતાનું સ્થાન જાળવી રાખવાનું છે, અને સમાજ મારફત પણ શિક્ષકનું પોતાનું સ્થાન જાળવી રાખવાનું છે.
કમશ :



.jpeg)



