સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

31 ઑક્ટોબર 2024

એક વિરલ વિભૂતિ - સરદાર પટેલ: એક દેશભક્ત અલૌકિક યોદ્ધા*

 

*સરદાર પટેલ: એક દેશભક્ત અલૌકિક યોદ્ધા*







*"ક્યારેય ન હાર્યો, ન ડગ્યો એ યોદ્ધા,

એના ઈરાદા હતા સૂર્ય જેટલા તેજસ્વી.

વિભાજન વચ્ચે દેશને જોડવાનો પરાક્રમ,

સરદારને સ્મરી એ રહેશો પ્રેરણાસ્પદ દિવ્યજીવી."*


       સરદાર વલ્લભભાઈ પટેલ ભારતીય રાજકારણના એ મહાન નેતાઓમાંના એક નેતા  હતા  તેમનામાં માત્ર રાજકીય ચાતુર્યથી જ નહીં, પરંતુ ધૈર્ય, સંગઠનશક્તિ અને અસાધારણ નેતૃત્વ સાથે ભારતના સંઘર્ષમય સમયને નવ દિશા આપી. સરદાર પટેલને ભારતના એકીકરણના પ્રમુખ નાયક તરીકે ઓળખવામાં આવે છે અને તેમનો યોગદાન એટલું જ મહાન હતું જેટલું કે સ્વતંત્રતાના લડવૈયાઓનું.


*જન્મ અને પ્રારંભિક જીવન:-*


     31 ઓક્ટોબર, 1875ના રોજ નડિયાદ, ગુજરાતમાં જન્મેલા વલ્લભભાઈ પટેલ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવ્યાં હતા. બાળપણથી જ તેઓ કટિબદ્ધ અને આત્મનિર્ભર સ્વભાવના હતા. અભ્યાસમાં તીવ્ર હોવા છતાં, જીવનમાં વ્યાવહારિક શાણપણ અને  દઢસંકલ્પના સાથે તેઓ જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરતા હતા. તે પ્રાથમિક શિક્ષણ બાદ લંડન ગયા અને ત્યાંથી બેરિસ્ટર બન્યા.


*સ્વતંત્રતા આંદોલનનો યોદ્ધા:-*

*"કદાચ જીત સરળ ન હોય, પણ મક્કમ સંકલ્પને કોઈ રોકી શકતું નથી."*


     સરદાર પટેલનો દેશપ્રેમની ભાવના સાથેનો સબંધ મહાત્મા ગાંધીની અહિંસક વિચારધારાથી પ્રેરાયેલો હતો. 1918ના ખેડા સત્યાગ્રહ દરમિયાન ખેડૂતોને પાક નાશ પામ્યાના કારણે કર છોડાવવા માટે યોજાયેલી લડતમાં તેમણે અગત્યનો રોલ ભજવ્યો. તેમના આ સંગઠનશક્તિના પરિણામે તેઓ લોકોમાં લોકપ્રિય થયા અને ખેડા વિજય થયું.


     1930ના દાંડી કૂચમાં પણ સરદાર પટેલે મહાત્મા ગાંધી સાથે સહભાગી થઈને બ્રિટિશ સરકાર સામે સંઘર્ષ કર્યો. તેમનો આદર્શ એ હતો કે કોઈ પણ પરિસ્થિતિમાં હિંસા ન અપનાવવી અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ ધૈર્યપૂર્વક લડીને આગળ વધવું.


*રાષ્ટ્રનું એકીકરણ:-*

*"લોખંડી ઈરાદાઓથી જ અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે."*


    ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ સ્વતંત્રતા મળી, પરંતુ સૌથી મોટું પડકાર હતું 562 દેશી રજવાડાઓનું એકીકરણ. તે સમયે અનેક રજવાડાઓ સ્વતંત્ર રહેવા ઈચ્છતા હતા, પરંતુ સરદાર પટેલના પાકા સંકલ્પ અને રાજકીય ચાતુર્યથી તેમણે અખંડ ભારતનું નિર્માણ કર્યું. જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારો સાથે પણ તેઓએ નિષ્ણાત નીતિ અપનાવી. તેમની આ યુક્તિઓના કારણે જ આજે ભારત એક સંઘીય પ્રજાસત્તાક બની શક્યું.


*લોખંડી માણસનો ખિતાબ:-*

*"રાષ્ટ્રની એકતા માટે કંઈક ગુમાવવું પડે તો તે શ્રેષ્ઠ ગૂંચવણ છે."*


      સરદાર પટેલની અનંત દૃઢતા અને આગવી નેતૃત્વ ક્ષમતા માટે તેમને "લોખંડી માણસ" તરીકે ઓળખવામાં આવે છે. તેમણે મન અને વચન બન્નેમાં મક્કમ રહેતાં દેશની અખંડિતતા માટે એક યોદ્ધાની જેમ લડત આપી. દેશી રજવાડાઓના એકીકરણમાં આવતી કેટલીક કઠિન પરિસ્થિતિઓના છતાં તેમણે ધૈર્ય અને શાંતિ જાળવી રાખી.


*અવસાન અને વારસો:-*


    15 ડિસેમ્બર, 1950ના રોજ આ મહાન યોદ્ધાનું નિધન થયું. તેમ છતાં, તેમનું જીવન આજે પણ યુગયુગાંતર માટે પ્રેરણાસ્રોત છે. ભારતે તેમના યોગદાનને માન્યતા આપતા 2018માં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા નદીના કિનારે તૈયાર કરી, જે તેમના સમર્પણને શ્રદ્ધાંજલિ રૂપે ઉભી કરવામાં આવી છે.


*સારાંશ:-*


*"વિપરીત પરિસ્થિતિઓમાં ધૈર્ય જ યોદ્ધાની સાચી ઓળખ છે."*



     સરદાર પટેલ એક એવા અલૌકિક યોદ્ધા હતા જેમણે દૃઢ નિશ્ચય અને સમાજના તમામ વર્ગોના સહયોગથી ભારતનું સ્વપ્ન સાકાર કર્યું. તેમની જીવનકથા માત્ર ભવિષ્યના નેતાઓ માટે જ નહીં, પરંતુ પ્રત્યેક ભારતીય માટે આદર્શ અને પ્રેરણાદાયી છે.


- નયના જે. સોલંકી

- આંખો.

જ્ઞાનનો પ્રકાશ ફેલાવતું પર્વ – દિવાળી - મોટીવેશન લેખ.

   *જ્ઞાનનો પ્રકાશ ફેલાવતું પર્વ – દિવાળી*








*દરેક દીવો સંકેત આપે છે કે આશા કદી મરતી નથી."*


        દિવાળી ભારતમાં ઉજવાતો એક પ્રાચીન અને લોકપ્રિય તહેવાર છે, જે આર્થિક, સામાજિક ઉત્સાહનો આધ્યાત્મિક પર્વ પણ છે. દિવાળીનું નામ આવ્યું છે “દીપાવલી" આ પર્વ પ્રકાશ અને વિજ્ઞાનના સંદેશને પ્રગટ કરે છે, જ્યાં અંધકાર પર અજ્ઞાન પર વિજયના પ્રતીક રૂપે દીવાઓ પ્રગટાવવામાં આવે છે.


*દિવાળીનું પ્રતીકાત્મક મહત્વ:-*


      આ પર્વ માત્ર ભૌતિક પ્રકાશ પુરાવનાર દીવાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ આ આત્માનાં જ્ઞાનનો પ્રકટાવ પણ કરે છે. રોજિંદી જીવનમાં જે અજ્ઞાન, અવગણના કે મનોવિકારોનો અંધકાર છવાય છે, તેને દૂર કરવા માટે દિવાળી એક સંકેત આપે છે કે જ્ઞાનનો પ્રકાશ ફેલાવવો જરૂરી છે. રામાયણના ભગવાન શ્રીરામની અયોધ્યામાં વિજય અને વતનવાપસી, કે પછી ભગવાન કૃષ્ણ દ્વારા નારકાસુર પર વિજય—આ પ્રતીકો અંતે સત્ય, જ્ઞાન અને ધર્મના વિજયને વ્યક્ત કરે છે.


*પરંપરાઓ અને મૌલ્યિક સંદેશ:-*


*દિવાળીના પાંચ દિવસો દરેક અલગ રૂપે જીવનના વિવિધ પાસાંઓને સમજાવે છે.*


1. ધનતેરસ – આરોગ્ય અને સમૃદ્ધિનો આરંભ.



2. કાળી ચૌદસ – નકારાત્મકતા અને દોષોના નિર્મૂલનનો સંકેત.



3. દિવાળી – આત્માના પ્રકાશને ઉજાગર કરતો મુખ્ય દિવસ.



4. નૂતન વર્ષ – નવી શરૂઆત અને નવી આશાઓનો દિવસ.



5. ભાઈ બીજ – પરિવાર અને પ્રેમનો દિન.




    પ્રતિક રૂપ પાંચ દિવસનો સંદેશ આપણા જીવનમાં જ્ઞાન, શુદ્ધિ, અને પ્રગતિ તરફ પ્રેરિત કરે છે. મંદિરોમાં આરતી, ઘરોમાં દીવડા પ્રગટાવવાના રિવાજો, અને મીઠાઈઓ વહેચવાના કાર્યક્રમ વગેરે આ પર્વ માનવીય સંબંધોને નવી ઊંચાઈ આપે છે.


*આધુનિક યુગમાં દિવાળીનો સંદેશ:-*


      આજના જીવનમાં જ્યાં ભાગદોડ અને આંસિક સંવેદનાઓનું શાસન છે, ત્યાં દિવાળી ભલે આનંદનો તહેવાર હોય પરંતુ તેનું મૂળ સંદેશ ધ્યાનપૂર્વક ગ્રહણ કરવાની જરૂર છે. જીવનમાં શાંતિ અને સંયમનો દિવો પ્રગટાવવો એ દિવાળીની સાચી ઉજવણી છે. માત્ર બાહ્ય દીવાઓ નહીં, પરંતુ આપણે આંતરિક અજ્ઞાન અને અંધકાર દૂર કરવાનું શીખવું જોઈએ.


*સારાંશ:-*


       દિવાળી આપણને પ્રગતિના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપે છે. જે રીતે દીવો બીજાને પ્રકાશ આપે છે અને પોતે દહાય છે, તેવી રીતે માનવ જીવનમાં પણ વિજ્ઞાન, જ્ઞાન અને કરુણા વિના પૂર્ણતાનો અનુભવ શક્ય નથી. આ ઉજવણી એ ન્યૂનતમ વસ્તુઓમાં ખુશી શોધવાની લાગણી અને લોકો વચ્ચે હમદર્દી અને પ્રેમનો સંદેશ આપે છે.


     *જ્ઞાનના આ પ્રકાશ પર્વે આપણે પણ નક્કી કરીએ કે જીવનમાં આંતરિક પ્રકાશને ઝગમગાવી, સત્યનો માર્ગ અપનાવી અને ભૂલચૂક એકબીજાની માફ કરી નમ્રતા દાખવી એક સોપાન આગળ વધીએ."દિવાળીના પર્વે દીવા કરતા હૃદય વધુ પ્રકાશિત થવા જોઈએ."


   * સર્વો સ્નેહીજનો ને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. નૂતન વર્ષાભિનંદન.*


- નયના જે. સોલંકી

- આંખો.






30 ઑક્ટોબર 2024

મોટીવેશન વાર્તા -24 (સેવા અને શ્રદ્ધાનો સંગમ)

 સેવા અને શ્રદ્ધાનો સંગમ





       લો, ત્રિવેદીસાહેબ! શું આપું? તમે મારી ઘરવાળીને જીવનદાન આપ્યું છે. હું બહુ રાજી થયો છું. જે માગો તે આપવા તૈયાર છું. બોલો, શું જોઇએ છે?’ આજથી બરાબર એક વર્ષ પહેલાં પ્રદીપભાઇ પાટની નામના એક રાજસ્થાની સજજને ઉપરના વાકયો ડો.. ત્રિવેદી સાહેબની સામે જોઇને ઉરચાર્યા. ડો.. ત્રિવેદી સાહેબ એટલે અમદાવાદની કિડની ઇન્સ્ટિટયૂટના સંસ્થાપક અને ડિરેકટર ડો..એચ.એલ. ત્રિવેદી.

       પ્રદીપભાઇની ભામાશાઇ ઓફર સાંભળીને ડો.. ત્રિવેદી સાહેબ હસ્યા, ‘તમે જો આપવા માટે તૈયાર હો, તો મારે એક ચીજની જરૂર છે. પણ જોજો હોં, એક વાતની ચોખવટ પહેલાં જ કરી લઉ છું. તમને ચૂકવવા માટે મારી પાસે ફૂટી કોડિયે નથી.’

      આ શબ્દો કાનમાં જાય અને આંખોમાંથી આંસુ ખરી પડે એવી આ કબૂલાત છે કારણ કે મૂળ વાત સ્વૈરિછક ગરીબીની છે. એક જમાનામાં કેનેડામાં સૌથી ધનવાન ઇલાકામાં પોશ બંગલામાં રહેતો અને દેશભરમાં સૌથી મોટી રકમનો ઇન્કમટેકસ ચૂકવતો આ સૂટેડ-બૂટેડ જીનિઅસ દેવદૂત એ કુબેરનો વૈભવ છોડીને પોતાના વતનના ગરીબ સુદામાઓના ઉદ્ધાર માટે અમદાવાદમાં આવી ગયો અને સેવાની ધૂણી ધખાવીને બેસી ગયો.

        રોલ્સ રોયસ ખરીદી શકવાની ત્રેવડ ધરાવતો માણસ અત્યારે ગાલ પરની કરચલીઓમાંથી ભોળુ સ્મિત ઊપસાવીને નિખાલસપણે કબૂલી રહ્યો હતો, ‘ભાઇ, મારી પાસે પૈસા નથી.’

        બેરિસ્ટર બન્યાં છતાંયે જીવનભર લંગોટી પહેરીને ફરેલા મહાત્મા યાદ આવી જાય. ભારતના નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી હોવા છતાં તૂટેલી દાંડલીવાળા ચશ્માની એક જ જોડથી આયખું પૂરું કરી નાખનાર સરદાર પટેલ યાદ આવી જાય. મુખ્ય કારણ સ્વૈરિછક ગરીબીનું છે.

        ભિખારીની ગરીબી જોઇને આપણો હાથ ખિસ્સામાં જાય છે, મદદનું પાકીટ કાઢવા માટે, પણ મહાનુભાવોની ગરીબી જોઇને હાથ ખિસ્સામાં જાય છે એ આંસુ લૂછવાનો રૂમાલ કાઢવા માટે.

        ત્રિવેદી સાહેબ અને પ્રદીપભાઇ વચ્ચે થયેલા આ સંવાદ પાછળ પથરાયેલી ઘટના શી હતી? ૨૦૦૭ની સાલ. ડિસેમ્બરની ઘટના. જયપુરમાં વસેલા પ્રદીપભાઇના પત્ની સરોજબહેનની બંને બાજુની કિડની ખલાસ થઇ ગઇ. ડાયાલિસીસ કરાવી-કરાવીને શારીરિક, આર્થિક અને માનસિક રીતે તૂટી ગયાં. આખરે કો’કે માહિતી આપી, ‘બેસી શું રહ્યાં છો? પહોંચી જાવ અમદાવાદ. બેસાડી આવો નવી કિડની.’

      આંગળી ચીંધનાર તો પુણ્ય કમાઇને સરકી ગયો. પ્રદીપભાઇ મરણોન્મુખ પત્નીને લઇને ત્રિવેદી સાહેબ પાસે હાજર થયા.

         ડો.. ત્રિવેદી સાહેબે સરોજબહેનની તપાસ કરી. લોહીના પરીક્ષણો કરાવ્યા. સીરમ ક્રિયેટીનનું પ્રમાણ ભયજનક હદે ઊચું હતું. એમણે કહ્યું, ‘ભાઇ, તમારા પત્નીની હાલત તો તદ્દન ખરાબ છે. ઓપરેશન કરવામાં સહેજ પણ મોડું થશે તો સો ટકા…’

        ‘આપણે મોડું નથી કરવું, સાહેબ! તૈયારી શરૂ કરી દો.’ પ્રદીપભાઇ એમની સમજ પ્રમાણે બોલી ગયા. પણ તબીબી શાસ્ત્રની સમજ કંઇક બીજું જ કહી રહી હતી. સરોજબહેન માટે જે બે-ત્રણ નિકટના દાતાઓ પોતાની કિડની આપવા માટે તૈયાર થયા, એમાંથી એક પણ જણની કિડની એમનાં શરીરમાં ભાણે ખપતી ન બેઠી. હવે શું કરવું?

       આ સવાલનો જવાબ કદાચ ભગવાન પાસે હતો. સુરત ખાતે રહેતાં રમાબહેન વિરડિયા નામનાં વૃદ્ધ બ્યાંસી વર્ષની ઉમરે મૃત્યુ પામ્યાં. એમનાં સ્વજનોએ કિડનીદાનનો પવિત્ર સંકલ્પ જાહેર કર્યો.

        ત્રિવેદી સાહેબને જાણ કરવામાં આવી. બધું નેશનલ સિકયોરિટી ગાર્ડઝના કમાન્ડો ઓપરેશનની જેમ ગોઠવાઇ ગયું. સ્ફૂર્તીપૂર્વક, ચોક્કસાઇપૂર્વક અને સલામતીપૂર્વક.

        ચોથી ડિસેમ્બરના રોજ શસ્ત્રક્રિયા સંપન્ન થઇ ગઇ. એક આથમી ગયેલી કારનું એન્જિન બીજી ખોટકાઇ પડેલી કારનાં બોડીમાં ફરી પાછું ધબકતું થઇ ગયું. આશા ગુમાવીને આવેલો પતિ જીવતી-જાગતી, સાજી-સમી પત્નીને લઇને જયપુર જવા માટે તૈયાર થયો.

      છેલ્લા દિવસે મળવા માટે ડો.. ત્રિવેદી સાહેબની ચેમ્બરમાં આવ્યો, ‘રજા આપો, સાહેબ! જઇએ છીએ.’

    ‘બિલની રકમ ભરી દીધી?’ ડો.કટર સાહેબે ચશ્માના કાચમાંથી વેધક સવાલ પૂછી લીધો.

‘ભરી દીધી.’

     ‘સો એ સો ટકા પૈસા ભર્યા ને! તમારી રાજસ્થાની લોકોની આદત હું જાણું છું. તિજોરીમાં લાખો રૂપિયા હોય તેમ છતાં ફીમાં માફી માગવામાં તમે પાછાં ન પડો.’ સાહેબે હળવી મજાક કરી.‘સાહેબ, તમારો અભિપ્રાય ખોટો નથી, પણ અમે મારવાડીઓ પણ ઘર જોઇને વાત કરીએ છીએ.’

‘તો કરો વાત… અમારું ઘર જોઇને શું કહેવાનું મન થાય છે?’

     ‘સાહેબ, સાચું કહું? સારવારનો તમામ ખર્ચ પૂરેપૂરો ચૂકવ્યા પછી પણ મને એમ થયા કરે છે કે અમે હજુ તમને કશું જ આપ્યું નથી. બોલો, શું જોઇએ છે? તમે જે માગશો તે આપીશ.’

     ‘ભાઇ, મારે એક ચીજ માગવી છે, પણ જોજો હોં! મારી પાસે તમને આપવા માટે એક ફૂટી કોડી પણ નથી.’ સત્યોતેર વર્ષના ત્રિવેદી સાહેબ સાત માસના બાળક જેવું નિર્દોષ હસી પડયા.

     પ્રદીપભાઇ લગભગ રડી પડયા, ‘સાહેબ, તમે જ આપેલી જિંદગી છે. જો કહો તો માથાં ઉતારી આપીયે.

‘ના ભાઇ, મારે તો એક સરસ્વતી માતાની મૂર્તિ જોઇએ છે.’

‘કેટલા કદની?’

     ‘બહુ મોટી નહીં. એ તો મોંઘી પડે. બસ, આ મારા અડધા હાથ કરતાંયે નાની હશે તો ચાલશે, મારા ટેબલ ઉપર મૂકી શકાય તેવડી. આપી શકાશે?’ ‘જોઉ છું.’ પ્રદીપભાઇ હસ્યા, પત્નીની સામે જોયું અને પછી રવાના થઇ ગયા.

       દિવસો ગયા, સપ્તાહો વિત્યા, મહિનાઓ પસાર થઇ ગયા. મૂર્તિ ન આવી. ત્રિવેદી સાહેબે પણ એ વાત મનમાંથી કાઢી નાખી. બરાબર એક વર્ષ પૂરું થવા આડે એક મહિનાની વાર હતી, ત્યારે જયપુરથી રવાના થયેલો એક ટ્રક કિડની સંસ્થાના આંગણે આવીને ઊભો રહી ગયો.

     પ્રદીપભાઇએ ત્રિવેદી સાહેબ સમક્ષ આવીને બે હાથ જોડયા, ‘પધારો, સાહેબ! મા સરસ્વતીની મૂર્તિનો સ્વીકાર કરો!’ ત્રિવેદી સાહેબને જે દ્રશ્ય જોવા મળ્યું તે સ્તબ્ધ કરી મૂકે તેવું હતું. ટ્રકમાં તેર આવરણની અંદર એક વિશાળ કદની સંગેમરમરની રૂપાળી મૂર્તિ હતી.

      એ મૂર્તિનો આપનાર વિનમ્ર ભાવે બોલી રહ્યો હતો, ‘માફી ચાહું છું, સાહેબ, આટલી બધી દેરી થઇ ગઇ એના માટે. પણ થયું એવું કે મારી ઇરછા એવી હતી કે આખી મૂર્તિ આરસના એક જ પથ્થરમાંથી બનાવવામાં આવે. તકલીફ ત્યાં જ ઊભી થઇ.

     આરસની ખાણમાંથી એક મોટો પથ્થર ખોદીને બહાર કાઢવામાં આવ્યો, પણ એમાં સહેજ સાજ ડાઘા હતા. માતાની મૂર્તિમાં દાગ હોય તે કેમ ચાલે? પથ્થર રદ કરી દીધો. બીજી વાર મોટો ખડક જેવો ચોસલો ખોદી કાઢયો. એ સાફ જણાયો. મૂર્તિની કોતરણી ચાલુ કરી દેવામાં આવી, પણ અડધે પહોંરયા ત્યાં એક નાનો ડાઘ દેખાયો. એ ચોસલું પણ રદ કરી દીધું.’

‘અરે, એવું શા માટે કર્યું? એવો એકાદ ડાઘ તો ચાલે.’

‘ના, સાહેબ, ન ચાલે. મૂર્તિ કોની બનાવવાની હતી! અને કોના માટે બનાવવાની હતી! આખરે ત્રીજી વારનો માર્બલ સ્વરછ, એક પણ ડાઘ વિનાનો નીકળ્યો. જયપુરના શ્રેષ્ઠ શિલ્પકારોએ એમાંથી મા સરસ્વતીનો આકાર ઘડયો.

એ ખંડિત ન થાય એ ખાતર એની ફકત તેર-તેર નવાનકોર ગાદલાનું પેકિંગ વિંટાળ્યું અને…’ ‘એક વાત પૂછું, ભાઇ! આ મૂર્તિ પાછળ ખર્ચ કેટલો થયો?’

‘એંશી હજાર રૂપિયા થયા, સાહેબ! મા સરસ્વતીની સંગેમરમરની આ દિવ્ય મૂર્તિ કિડની સંસ્થાની પાછળના ભાગમાં આવેલા સભાગૃહના પ્રવેશદ્વાર પાસે વિધિવત્ પ્રાણપ્રતિષ્ઠા પામ્યાં પછી અત્યારે શોભી રહી છે.
*સારાંશ*
     આ પ્રાણપ્રતિષ્ઠાની વિધિ પણ વાઘબારસના શુભ દિવસે સંસ્થાના જ એક દર્દી વિરંચી પાઠકે કરાવી આપી. એમણે કહ્યું ત્યારે ખબર પડી કે વાઘબારસ એટલે ખરેખર તો વાક્બારસ છે! વાણીની ઉપાસનાનું પર્વ અને વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીને સુયોગ એ સાચે જ કેવી પવિત્ર ઘટના ગણાય.

(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો.




22 ઑક્ટોબર 2024

લાગણીની પરિભાષા -11

 

પરિભાષા દિલની



1. *કોઈને ડર છે કે ભગવાન જોઈ રહ્યા છે...* 

*કોઈને વિશ્વાસ છે કે ભગવાન જોઈ રહ્યા છે...*


2. છે ને સાહેબ... ઈશ્વર પાસે બધી વાત મૂકી દેવી... પછી... એ જાણે.... અને...... એનું ત્રાજવું જાણે...

આપણે છુટ્ટા...!!


3. *સમય એક ઘડિયાળ છે...*

*જેમાં બ્રેક નથી અને રિવર્સ પણ નથી...*


4. *કદાચ દરેક દિવસ સારો ન હોય...*

*પણ દરેક દિવસે કંઈક ને કંઈક સારુ હોય છે...*


5. *મેચ્યોર હોવું એ પણ બહુ મુસીબતનું કામ છે...સાહેબ...*

*આપણી આંખોને કાબુમાં રાખી બીજાની લૂછવાની...*

6. લાંબો પથ ને રસ્તા કાચા,

એક મુસાફર, લાખ લબાચા

પારંપારિક સૌના ઢાંચા

સૌ માને છે પોતે સાચા..

7. જયારે કોઈ પણ સંબંધ માં *મૌન* બોલતું થઈ જાય ને સાહેબ...

ત્યારે સંબંધ *મૌન* થઈ જાય છે...

8. શબ્દો તો હંમેશા સંવેદનાથી *છલોછલ* જ હોય છે...

 તેમને *છંછેડવા છેતરવા છાવરવા છુપાવવા* કે *છલકાવવા* એ આપણે નક્કી કરવાનું છે...


9. આ દુનિયામાં બે જ સત્ય છે સાહેબ...

એક *હા* અને એક *ના*...

બાકી બધી ફક્ત શબ્દોની હેરાફેરી છે...


10. *આપણે જે વિચારીએ છીએ તે જીંદગી નથી...સાહેબ...*

*આપણી સાથે જે થાય છે તે છે જીંદગી….*

(સંકલિત)

- નયના જે. સોલંકી

- આંખો

18 ઑક્ટોબર 2024

વિદ્યાર્થી જીવન અને પરીક્ષાની સફર - મોટીવેશન લેખ.

       

વિદ્યાર્થી જીવન અને પરીક્ષાની સફર



       વિદ્યાર્થી જીવનએ શિક્ષણની યાત્રાનો મહત્વપૂર્ણ હિસ્સો છે, જે વ્યક્તિગત વિકાસ અને જીવનના મૂલ્યોને શીખવા માટેનું શ્રેષ્ઠ સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન પરીક્ષાઓનું મહત્વ જુદું જ હોય છે, કારણ કે તે વિદ્યાર્થીના જ્ઞાન, સમજણ અને શિસ્તની કસોટી લે છે. ચાલો, વિદ્યાર્થી જીવન અને પરીક્ષાઓ વિશે ઊંડાણપૂર્વક સમજીએ.

"દરેક પરીક્ષા છે નવી કસોટીનો મથક,

મનોબળનો સાથ છે શ્રેષ્ઠ સંબંધી યશક.

નિષ્ફળતા પણ નવી તક લાવે છે,

હિંમતથી આગળ વધવું જ જીવનનું તત્વક."

*વિદ્યાર્થી જીવનના મહત્વપૂર્ણ પાસાઓ:*

1. શિક્ષણ અને જ્ઞાન: શાળાઓ અને કોલેજોમાં શીખવું વ્યક્તિને આકર્ષક ભવિષ્ય માટે તૈયાર કરે છે.

2. શિસ્ત અને સમયનું પ્રબંધન: સમયસર જાગવું, ભણવું અને ગતિશીલ રહેવું ખૂબ જ જરૂરી છે.

3. મિત્રતા અને મનોરંજન: મિત્રતા દ્વારા સમાજમાં માનસિક સમતોલન શીખી શકાય છે. રમતગમત અને સાહિત્યિક પ્રવૃત્તિઓ પણ મહત્વની છે.

4. શીખવાની ઇચ્છા: દરેક નિષ્ફળતામાંથી શીખીને આગળ વધવાની માનસિકતા જ વૃદ્ધિનું કારણ બને છે.

*પરીક્ષાઓનું મહત્વ અને ભૂમિકા:*

1. કસોટીનું માપ: પરીક્ષાઓ વિદ્યાર્થીના અભ્યાસકાળ દરમિયાન તેઓએ મેળવેલા જ્ઞાન અને કુશળતાઓનું મૂલ્યાંકન કરે છે.

2. પ્રતિસ્પર્ધાની તૈયારી: જીવનમાં પ્રતિસ્પર્ધા સાથેના સંજોગો માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવું એ પરીક્ષાઓનું લક્ષ્ય છે.

3. મનોબળનો વિકાસ: પરીક્ષાઓમાં સફળતા અથવા નિષ્ફળતા બંને જીવનમાં સહનશક્તિ અને મનોબળને વધારવામાં મદદ કરે છે.

4. લક્ષ્યસાધન: પરીક્ષાઓ માટેના લક્ષ્યાંકોનુ નિર્ધારણ વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ બનાવે છે અને સમયનું યોગ્ય રીતે વાપરવું શીખવે છે.

*વિદ્યાર્થીઓ માટે ઉપાય અને સલાહો:*

1. અભ્યાસ માટેનું શેડ્યૂલ બનાવો: નિયમિત અભ્યાસ પર ભાર આપો અને અવકાશમાં આરામ અને મનોરંજનનો પણ સમાવેશ કરો.

2. આતમવિશ્વાસ રાખો: દરેક નિષ્ફળતાને શીખવા માટેની તક સમજો.

3. તંદુરસ્ત જીવનશૈલી અપનાવો: યોગ્ય નીંદર, આહાર અને વ્યાયામનો સમાવેશ કરો.

4. અન્યોથી પ્રેરણા લો: સહાધ્યાયી મિત્રો અને શિક્ષકોની મદદથી નવી પદ્ધતિઓ શીખો.

       વિદ્યાર્થી જીવનમાં પરીક્ષાઓ ક્યારેક તણાવપૂર્ણ લાગી શકે, પરંતુ તે જીવનની મોટી સફળતાઓ માટેના પગથિયા છે. જો વિધાર્થી શાંતિથી અને શિસ્તથી આ સમયગાળાને સહન કરે, તો તે સફળતા તરફ આગળ વધી શકે છે.

"સફળતા તરફનો માર્ગ:

અભ્યાસે લાવ્યા સપનામાં રંગ,

શિસ્તે શીખવ્યું સમયનો નમ્ર સંગ.

આત્મવિશ્વાસથી જીવન સરસ બને,

ચિંતાને છોડો અને કરો સફળતાનો ડંગ."



- નયના જે. સોલંકી

- આંખો.

06 ઑક્ટોબર 2024

મોટીવેશન વાર્તા -22(અજાણ્યા સંબંધોનો ઘા)

 અજાણ્યા સંબંધોનો ઘા











સ્વાતિ..? ચાલ આપણે પાર્ટી પ્લોટમાં ગરબા લેવા જવાનું છે.

લે તારી ચણિયાચોળી પહેરી લે અને હું મારા કપડા પહેરી લઉં.

તું જલ્દી તૈયાર થઈ જા સ્વાતિને આટલું કહેતા ક્રિશ વોશરૂમમાં ગયો.

સ્વાતિ હાથમા ચણીયાચોળી લઈને પોતાના ભૂતકાળમાં સરી પડી.........

નવરાત્રિના દિવસો ચાલી રહ્યા હતા. સ્વાતિ હોસ્ટેલમાં રહેતી પોતાની બહેનપણીઓ સાથે ગરબા લેવા ગઈ.

         ત્યાં ગરબે રમતા સ્વાતિ એક અજાણ્યા યુવાનના સંપર્કમાં આવી અને એકબીજા વચ્ચે વાતનો દોર ચાલુ થયો.

ને સમય પૂરો થતાં બધા પોતપોતાની રૂમે ગયા.

વળતા દિવસે વળી પાછો એનો એ જ ક્રમ.

ત્રણ ચાર નોરતા દરમિયાન એકબીજાનો પરિચય થતાં બન્ને વચ્ચે એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે થઈ.

ત્યારબાદ ધીમેધીમે મેસેજ પર વાત કરતા સ્વાતિ અને સાગર ફોન પર વાતો કરવા લાગ્યા અને થોડા જ દિવસમાં પ્લાન થયો કે આજે આપણે બન્ને ક્યાંક મળીએ.

પહેલી જ વખતમાં અજાણ્યા યુવક પર વિશ્વાસ કરી બેઠેલી સ્વાતિ એ વાત ભૂલી ગઈ કે સાગર એક અજાણ્યો છે.

બસ એનો ફાયદો ઉઠાવીને સાગર સ્વાતિને

પોતાની કારમાં બેસાડીને  અવાવરું જગ્યાએ લઈ ગયો અને ત્યાં પહોંચીને જેમ કોઈ પારઘી કુમળાં શિકારને પીંખી નાખે એવી રીતે સ્વાતિને અનેકવાર પીંખી.

ત્યારબાદ એ હવસખોર સાગરની હવસ સંતોષાઈ જતા સ્વાતિને ત્યાં જ છોડીને જતો રહ્યો.

સ્વાતિ ત્યાં જ રડતી રહી.

         આ બાજુ ગામડેથી શહેરમાં નવો આવેલો પોતાની ઓફિસથી મોડો છુટેલો એક યુવક જે શહેરથી થોડો દૂર રહેતો ત્યાંથી નીકળ્યો,

સ્વાતિના રડવાનો અવાજ સાંભળીને થોભ્યો અને વિચારવા લાગ્યો કે આ અવાવરું જગ્યાએ કોણ હોઈ શકે..?

થોડીવાર માટે ત્યાં જતા અચકાયો કે કદાચ પોતાને ફસાવવાનું કોઈનું ષડ્યંત્ર હોઈ શકે.

પરંતુ હિંમતવાન ક્રિશ પરિણામની પરવા કર્યા વગર મદદ કરવાના હેતુએ સ્વાતિ પાસે પહોંચ્યો.

         

       બાદમાં ક્રિશે સઘળી હકીકત જાણીને ડરી ગયેલી સ્વાતિને શાંત પાડીને એમને વિશ્વાસ આપી પોતાની બાઇક પાછળ બેસાડીને પોતાની રૂમ પર લઈ ગયો.

રુમે પહોંચી ટિફિન મંગાવી જમીને સ્વાતિને શાંતિથી સુવડાવી.

        વળતે દિવસે ક્રિશ સ્વાતિને તેની રૂમ પર મૂકવા ગયો અને પોતાનો કોન્ટેક નંબર આપતા કંઈ પણ જરૂર પડે તો ગમે ત્યારે ફોન કરવા કહ્યું.

      હવે સ્વાતિ પહેલા જેવી ખુશ નહોતી કારણ કે સમાજને પણ બધી જ ખબર પડી ગઈ હતી અને બધા જ એને તિરસ્કારની નજરે જોતા.

    એને હંમેશા ચિંતા રહેતી કે હવે તેણી સાથે લગ્ન કોણ કરશે.

ક્યારેક ક્યારેક ક્રિશ સાથે ફોન પર વાત કરીને પોતાનું મન હળવું કરી લેતી.

ક્રિશ સ્વાતિના મનને સમજી ગયો હતો

એક દિવસ ક્રિશે ફોન કરીને  સ્વાતિને મળવા પોતાની રૂમે બોલાવી અને બન્નેએ બેસીને ખૂબ જ વાતો કરી.

છેલ્લે છુટ્ટા પડતી વખતે ક્રિશ બોલ્યો "સ્વાતિ..? અગર જો તને વાંધો ન હોય તો તું મારી સાથે લગ્ન કરીશ..?"

આ સાંભળી સ્વાતિના રોમ રોમમાં એક ખળભળાટ મચી ગયો અને બોલવા જતી હતી કે પણ.......

"બસ સ્વાતિ હું બધું જાણું જ છું.

અને બધો વિચાર કર્યા બાદ જ તને પ્રપોઝ કરી રહ્યો છું 

કહીને ક્રિશે વચ્ચે જ બોલતા અટકાવી.

અને સ્વાતિ નજર ઢાળીને માત્ર આંસુ સારતા હા માં જવાબ આપી ક્રિશના ખભે માથું ઢાળી ગઈ.

*************

    લગ્નગ્રંથિથી જોડાયાને અઢાર વર્ષ પૂર્ણ થયા હતા અને ખૂબ જ સુખી જીવન જીવતા હતા.

ત્યાં નવરાત્રી આવી ગઈ.....


ક્રિશ તૈયાર થઈને આવ્યો પણ સ્વાતિ હજુ પણ એના ભૂતકાળમાં હતી પાછળથી આવીને સ્વાતિને ઢંઢોળીને પૂછ્યું શુ વિચારે છે..?

સ્વાતિ બસ એટલું જ બોલી શકી

"મને યાદ આવે એ નવરાત્રિ"

અને ક્રિશે સ્વાતિને પોતાની બાંહુપાશમાં સમાવી લીધી...!!


સાર :- માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે તો મારા દેશની કોઈપણ બેન દીકરીએ કોઈપણ અજાણી વ્યક્તિ સાથે ગરબા રમવા ના જવું. કારણ કે તમારી નાનકડી અમથી એક ભૂલ તમારી તેમજ તમારા પરિવારની બરબાદીનું કારણ બની શકે છે...!


લેખક- વાઘાણી વિજય. 

  "સદૈવ"

 શાખપુર,અમરેલી.

(હાલ સુરત.)


(સંકલન)

નયના જે. સોલંકી

સહયોગ આપનારાઓ