સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

18 ઑગસ્ટ 2024

મોટીવેશન વાર્તા : 19 (કર્મનું ફળ)



`કર્મનું ફળ` 

એક શેઠ બસમાંથી નીચે ઉતાર્યા તેમની પાસે થોડો સામાન હતો તેણે આજુબાજુ જોયું તો તેને એક મજૂર દેખાય તેને બોલાવ્યો અને પૂછ્યું આ વસ્તુને મારા ઘર સુધી લઈ જવા માટે તું કેટલા પૈસા લેશે

 મજૂરે કહ્યું ,,,,,,તમારા જે આપવું હોય તે આપો પરંતુ મારી એક શરત છે કે જ્યારે હું સામાન લઈ જઈશ ત્યારે રસ્તામાં તમારે મારી વાત સાંભળવાની વાતો તમારા વાત કરવાની અને હું સાંભળી શેઠે તેને ઠપકો આપીને ભગાડી મૂક્યો 

અને બીજા કોઈ મજુર ની શોધ કરવા લાગ્યો પરંતુ લાંબા સમય સુધી કોઈ મજૂર ના આવ્યો અને છેવટે મજબૂરી મા એ જ મજૂરને પાછો બોલાવ્યો મજુર દોડતો દોડતો શેઠ પાસે આવ્યો અને કહ્યું શેઠજી તમે મારી શરત સ્વીકારો છો

 શેઠે સ્વાર્થથી હા પાડી શેઠનું ઘર લગભગ 500 મીટરના અંતરે હતું મજુર સામાન ઉપાડી શેઠ સાથે નીકળી ગયો અને કહ્યું તમે મને કંઈ કહેશો કે હું તમને કંઈક કહું????

 શેઠે કહ્યું તું જ સંભળાવ મજૂરે ખુશીથી કહ્યું હું જે કહું તે ધ્યાનથી સાંભળો આમ કહીને મજુર રસ્તામાં છેક સુધી બોલતો ગયો અને બંને ઘરે પહોંચી ગયા

 મજૂરે ઘરની બહાર સામાન રાખ્યો શેઠે મંજૂર ને જે કાંઈ પૈસા આપ્યા તે મજૂરે લઈ લીધા અને શેઠને કહ્યું શેઠજી મારી વાત ધ્યાનથી સાંભળીને શેઠે કહ્યું ના મેં તારી વાત નથી સાંભળી મારે તો મારું કામ પૂરું કરવું હતું

 મજૂરે કહ્યું શેઠજી તમે તમારા જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે તમે કાલે 07:00 વાગ્યે મરી જવાના છો તમારો મૃત્યુ થવાનો છે શેઠ ગુસ્સે થયા અને કહ્યું મારે તારી વાત સાંભળવાનો સમય નથી મારે કોઈ બકબક નથી સાંભળવુ તું જા ,,,,,,અહીંથી નહિતર મારે તને મારવું જોઈશે

 મજૂરે કહ્યું મારો કે ન મારો કાલે સાંજે તમારો મૃત્યુ તો થવાનું જ છે હજી મારી વાતનો ધ્યાન રાખજો આ સાંભળી હવે શેઠ થોડા ગંભીર બની ગયા અને કહ્યું કે બધાએ મરવાનું તો છે જો કાલે સાંજે મારું મૃત્યુ હશે તો ચોક્કસ થશે હું તેના માટે શું કરી શકું?????

 મજૂરે કહ્યું તેથી જ તો હું તમને કહી રહ્યો છું કે તમે મારી વાત ધ્યાનથી સાંભળો. શેઠે કહ્યું હા ઠીક છે હું તારી વાત ધ્યાનથી સાંભળીશ

 મજૂરે કહ્યું જો તમે મૃત્યુ પછી ઉપર જશો ત્યાં તમને પૂછવામાં આવશે કે હે માણસ પહેલા સારા કર્મોના ફળ ભોગવવા છે કે ખરાબ કર્મોના ફળ????

 કેમકે માણસ પોતાના જીવનમાં પુણ્ય અને પાપ કરે છે તો તમે કહેજો કે હું ખરાબ કર્મોના ફળ ભોગવવા તૈયાર છું પણ હું મારી પોતાની આંખોથી પુણ્યના પરિણામો જોવા માગું છું આટલું કહીને મજૂર ત્યાંથી ચાલ્યો ગયો બીજા દિવસે સાંજે બરાબર સાત વાગે શેઠનું અવસાન થયું

 શેઠ ઉપર પહોંચ્યા ત્યારે યમરાજે શેઠને પૂછ્યું પહેલા પાપનું પરિણામ ભોગવવા માંગો છો કે પુણ્ય નુ?

 શેઠે કહ્યું હું પાપનું પરિણામ ભોગવવા તૈયાર છું પરંતુ મેં મારા જીવનમાં જે પણ સારા કાર્ય કર્યા છે તેનું ફળ હું મારી આંખોથી જોવા માગું છું તેમ આજે કહ્યું અમારી પાસે અહીં એવી કોઈ વ્યવસ્થા નથી અહીં બંનેનું પરિણામ ભોગવવું પડે છે શેઠે કહ્યું તો પછી મને પૂછ્યું કેમ તને પૂછ્યું છે,,,,, તો તેને પૂર્ણ કરો પૃથ્વી પર અન્યાય જોયો છે પણ અહીં પણ અન્યાય થઈ રહ્યો છે 

    યમરાજે વિચાર્યું આ વાત સાચી છે આવું પૂછવાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે મારી પાસે કોઈ એવી શક્તિ નથી કે આ જીવની મનોકામના પૂર્ણ થાય તે શેઠને બ્રહ્માજી પાસે લઈ ગયા અને તેમના આખી વાત કહી સંભળાવી બ્રહ્માજીએ પોતાનો પુસ્તક કાઢ્યો અને બધા પાના ફેરવ્યા પણ તેમને કાયદાની કોઈ કલમ કે પેટા કલમ મળી નહિ જેનાથી જીવની મનોકામના પૂર્ણ થઇ શકે

      બ્રહ્મા પણ લાચાર હતા અને યમરાજ અને શેઠને સાથે લઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને સમગ્ર સમસ્યા જણાવી. ભગવાન વિષ્ણુએ યમરાજ અને બ્રહ્માને કહ્યું કે તમે અહીંથી જાઓ પોતપોતાનું કામ કરો તેથી બંને ચાલ્યા ગયા 

    ભગવાને શેઠને કહ્યું હવે કહો તમે શું કહેવા માગો છો? શેઠ બોલ્યા અરે પ્રભુ હું શરૂઆતથી એક જ વાત કહે તો આવ્યો છું કે હું પાપનું પરિણામ ભોગવવા તૈયાર છું પણ પુણ્ય નુ પરિણામ મારી આંખે જોવા માગું છું,,,,, ભગવાને કહ્યું ધન્ય છે એ મજૂરને કે જેણે ગુરુના રૂપમાં તારી અંતિમ ક્ષણોમાં પણ મદદ કરી તેને આપેલા ઉપાય ને લીધે તું મારી સામે ઉભો છે તે મને તારી આંખે જોયો છે મારા દર્શનથી તારા બધા પાપો નષ્ટ થયા છે આનાથી વધારે પુણ્યફળ શું હોઈ શકે 

સારાંશ :-  
   મિત્રો વાર્તાનો આ સાર છે કે આપણને કોઈ પણ સ્વરૂપમાં ગુરુ મળી શકે છે આપણે ગુરુને ધ્યાનથી સાંભળવા જોઈએ જીવનમાં કોઈ વસ્તુ ઉપયોગી થશે તે આપણે ક્યારેય જાણતા નથી.


(સંકલિત)
નયના જે. સોલંકી

2 ટિપ્પણીઓ:

જયસુખ એલ જીકાદરા 'જય' કહ્યું...

કર્મનું ફળ એ સરસ વાર્તા..
વાર્તા વાંચવી ખૂબ જ ગમી..
આદરણીય નયનાબેન સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન

અજ્ઞાત કહ્યું...

ખૂબ જ સરસ વાર્તા 🙌💯

સહયોગ આપનારાઓ