1.જે લોકો મોઢા ઉપર કહી દે છે ને સાહેબ.
એ સંસ્કાર વગરના નહિ.
પરંતુ દિલના ચોખ્ખા હોય છે.
2.મજબૂરીમાં કોઈ મેણું મારી જાય તો ખમી લેવું સાહેબ.
કારણ કે સમય દરેકને મોકો આપે છે.
3.ક્યારેક કોઈ વ્યક્તિ તમારૂ નુકશાન કરે કે ખોટુ કરે.
તો ભૂલી જજો સાહેબ.
કેમકે બે હાથે ખાનારા કરતા હજાર હાથે દેનારો ઘણો મોટો હોય છે.
4.તમારા નસીબનું તમારા ખાતામાં જ આવી જાય છે.
ઈશ્વર ક્યાં આધારકાર્ડ માંગે છે.
5.કારણ વગરનુ વધારે પડતુ વિચારવાનુ બંધ કરો...સાહેબ.
શરીરમા સૌથી વધારે બેટરી ખાતી એપ્લિકેશન મગજ છે.
6.વાંચવા વાળાની ખામી હોય છે...સાહેબ...
બાકી કોઈના હાસ્ય માં પણ એક કિતાબ છે...
(સંકલિત)
નયના જે. સોલંકી